માણસના મનમાં ચાલતી માનો:વ્યથાઓ, વિટંબણાઓ, દૂ:ખ, પ્રેમ, નિખાલસતા, વિશ્વાસઘાત, નિર્દોષતા, પ્ર્શ્યાતાપ, જેવી લાગણીઓ આપણાં દિલો-દિમાગમાં ઘણીવાર અંદર ને અંદર ઘૂંટાયે જતી હોય છે. જેને આપણે અનુભવતા હોઈએ છીએ, પિછાનતા હોઈએ છીએ પણ એને શબ્દ સ્વરૂપે વ્યક્ત નથી કરી શકતા અથવા વ્યક્ત કરવા શબ્દો જડતા હોતા નથી. આ બહુ અધરું કામ છે. પણ આ પુસ્તકમાં તમે અનુભવેલી લાગણીઓને શાબ્દિક સ્વરૂપે વાંચવી હોય તો આ પુસ્તક અચૂક વાંચવું રહ્યું.
અત્યાર સુધી મેં ગુજરાતી ભાષાના જેટલા પુસ્તકો વાંચ્યા છે એમાં જેણે લાગણીઓને શબ્દોમાં આલેખવાની મહારથ હાંસિલ કરી હોય તો એ છે મારા All time favorite હરકિશન મહેતા. ( જોકે પહેલું જ પુસ્તક એમનું વાંચ્યું છે…)
મને ગર્વ થાય છે કે આવું અદભૂત રીતે લખાયેલુ પુસ્તક ‘પીળા રૂમાલની ગાંઠ’ ગુજરાતી ભાષામાં લખાયું છે. આ કથા ત્રણ ભાગમાં વિસ્તરીત છે. પુસ્તકના ત્રણેય ભાગ એટલા બેનમૂન વર્ણનથી લાખયેલા છે કે વાંચકને આગળ શું આવશે..? શું થશે..? એની સતત તાલાવેલી રહયા કરે. પહેલા પાનાંથી લઈને છેલા પાનાં સુધી સતત વાર્તારસ વધતો જ રહે છે. જેના લીધે વાંચકને પુસ્તક નીચે મૂકવાની દીઠીયે ઈચ્છા જ ન થાય. અને જો મૂકે તોયે વાર્તાના પાત્રો મનમાં ઘૂમરાયે જતાં હોય.
હરકિશન મહેતાએ દરેક પાત્ર જેમ મૂર્તિકાર મુર્તિ કડારતો હોય એમ બખૂબી સર્જ્યા છે.
આ પુસ્તક રસપ્રદ લાગવાનુ મુખ્ય કારણ હોય તો એ છે; ધરબાયેલું રહસ્ય. વાર્તાની શરૂઆતમાં જ અમીરના (મુખ્ય પાત્ર) માતા-પિતા સફર દરમ્યાન ઠગના શિકાર બને છે. અને ઈસ્માઈલ અમીરને દત્તક દીકરા રૂપે લઈ લે છે. આ મુખ્ય ઘટના વાર્તાની શરૂઆતમાં બને છે જેમાં ત્રણ રહસ્યો ધરબાય છે.
એક છે :- અમીર પથ્થર સાથે અથડાય છે ત્યારે એ એના અસલ માતા-પિતા કોણ છે…? એ માથા પર ચોંટ વાગવાથી ભૂલી જાય છે. અને ઈસ્માઈને એનો સાચો પિતા માની લે છે. [ આ રહસ્ય છેક ત્રીજા ભાગમાં છેલ્લે ખૂલે છે. અને આ રહસ્ય ક્યારે અને કેવી રીતે ખબર પડશે…? એ જાણવા વાંચકો છેક લાગી વાંચતાં રહશે. ચટપટી થાય કે સાલું ક્યારે ખુલશે… ક્યારે ખુલશે…!!! આમ ઝાલ્યા ના રહીએ એવી ઉત્કંઠા રે….છેક લગી. ]
બીજુ છે :- ઈસ્માઈલ અને એની પત્ની (મેરિયમ) અમીરને પોતાના દત્તક બેટા તરીકે સ્વીકારે છે, પણ ઈસ્માઈલ કેવું દુષ્ટ કામ કરીને, એ અમીરના માતા-પિતાનો જીવ બેરહમિથી ગૂંગળાવી દાટી નાખી, એ અનાથ આમિરને પોતાનો બેટો બનાવ્યો છે. એ રહસ્યથી પણ એની પત્ની બિલકુલ અજાણ છે. તથા એનો પતિ મોટો ખૂંખાર ઠગ છે એ પણ એક રહસ્ય રહે છે અંત સુધી…. અને જ્યારે પેલી ડોશી (?) રહસ્ય પરથી પડદો ઉઠાવી સત્ય હકીકત કહે છે કે ; એનો પતિ કોણ અને કેવો પેસો (profession) છે…? અને અમીર કોનો દીકરો છે એ બધુ કહે છે મેરિયમ એ બધુ સાંભળીને આંચકા સાથે એને અડધા અંગમાં લકવો પડી જાય છે. અને અંતે ધરબાયેલા રહસ્ય સાથે જ મોતને ભેટે છે.
ત્રીજું છે: અમીરને પથ્થર પર ઊછાળી પટકનારો ગણેશાએ એની અમ્માનો જીવ લઈને લાશ સાથે જે બેહૂદી હરકત કરી હતી એ રહસ્ય પણ છુપું રહે છે. [ એ પણ છેક ત્રીજા ભાગમાં ખૂલે છે… અને ગણેશા માટે પણ રહસ્ય હોય છે કે અમીર એ ખરેખર ઈસ્માઈલનો બેટો છે કે કોઈ બીજાનો…? ]
જેમ શરૂઆતમાં રહસ્યો ધરબયા એમ આખા વાર્તા દરમ્યાન અનેક નાના-મોટા રહસ્યો ધરબતા જાય છે. અને લલચાવતા લલચાવતા કેટલાયે પાનાં ફરી જાય ને રહસ્ય ખૂલતું હોય છે… જેની પાત્રને ખબર નથી હોતી, પણ વાંચકને એ પાત્રના ભૂતકાળમાં બનેલી બધી ઘટનાઓની ખબર હોય છે… અને એ ક્યારે ખુલશે એની ઇંતેજારીમાં ક્યારે કેટલા પાનાં વંચાઇ જાય છે એની પણ ખબર નથી પડતી….અદભૂત કથારસ છે.
આ રહસ્યો દાબી રાખવાની રીત આ પુસ્તકને સતત જકડાવી રાખે એવી રસપ્રદ કથા બનાવે છે…. તથા પાત્રોની અંદર ચાલતી લાગણીઓની સ્પષ્ટ, વિશ્વાસનીય, અને ફરી ફરી વાંચવાની ઈચ્છા થાય એવું સુંદર વર્ણન છે. {અશ્વિની ભટ્ટ જેવુ લાંબુ લચ્ચ નઇ… વાંચકની આંખ આગળ છબી રૂપે દ્રશ્ય છપાઈ જાય એવું ખપ પૂરતું જ વર્ણન.}
હરકિશન ભાઈએ કોઈ નવું પાત્ર આવે એની શારીરિક વર્ણન જોઈએ એટલું એકાદ-બે લીટીમાં કર્યું છે…બાકીનું વર્ણન જ્યારે કોઈ સિનમાં એની લાગણીઓ ખિન્ન-ભિન્ન થયેલી હોય ત્યારે બાકીનું વર્ણન કર્યું છે. અને ત્યારે જ પાત્ર હકીકતમાં કેવી વૃતિ ધરાવે છે, અથવા કેવો સ્વભાવ છે એ વાંચકને સમજાય. પછી એ પાત્રનું ફક્ત નામ આવે ત્યારે વાંચકને અંદર નફરત કે પ્રેમની લાગણી જન્મે…
દરેક ચેપ્ટર 11-12 પાનાનાં હોય છે. શોર્ટ અને અકબંધ રહસ્યથી ઠાંસી ઠાંસીને ભરેલા.
વાર્તા વધતાં ધીરે-ધીરે અમીર મોટો થતો જાય છે. એનો એક જિગરજાન મિત્ર છે અફલો. અને એની નાની બહેન છે ગુલુ. અમીરના બચપનનો પહેલો પ્રેમ. એને જેટલીવાર જોવે ત્યારે અમીરને એની બહેનની ધૂંધળી યાદ આવતી કે મારે પણ એક બહેન છે. પણ માથામાં વગેલી ચોંટને કારણે કશું સ્પષ્ટ યાદ નથી આવતું…
ગામમાં પ્રવેશેલા ગાંડા હાથીના તોફાનમા ગુલુ ફસાઈ પડે છે અને અમીર એને બચાવ કરવા આવે છે પણ ગુલુનું પાત્ર ત્યાં જ અંત પામે છે.
અમીરની માંને જ્યારે અમીર કોનો બેટો છે..? અને ઇસ્માઇલની અસલિયતમાં ઠગ છે… એ પેલી ડોશી કહે છે ત્યારે એને અડધા શરીરે લકવો પડી જાય છે. જ્યારે મોત આવે છે ત્યારે મેરિયમ કશુક બોલવા જાય છે ત્યાં વૈદ એ વાતને misunderstood થઈ જાય છે. પછી અમીરને કહે છે કે: તારી માં કહે છે કે, દીકરા તું તારા પિતા જેવો જ બનજે હો… જ્યારે વાસ્તવમાં એને કહ્યું હતું કે: તારા પિતા જેવો ક્યારેય ના બનતો. અને આ વાત જ્યારે સાંભળે છે ત્યારે એની માંના પ્રાણપંખેરુ ઊડી જાય છે. [ એ કેવી રીતે રીતે મરી છે એ પણ ઈસ્માઈલના માટે રહસ્ય છે… ઇસ્માઇલના મનમાં એમકે: બિચારીને ખબર પડત કે હું ઠગ છું અને અમીર આપણો સગો દીકરો નથી તો એ આઘાતથી જ મારી જાત. જોકે મેરિયમ એજ આઘાતથી મૃત્યુ પામી હતી.]
પછી ઈસ્માઈલ તેણી પત્નીના મોત પછી સફરેથી પહેલીવાર ઘરે આવે છે. એના અમુક દિવસોમાં ઇસ્માઇલને ગંધ આવી જાય છે કે અફલાની મમ્મીને ઇસ્માઇલની હકીકત ખબર લગભગ પડી જાય છે. પૂરેપુરી નહીં પણ લગભગ. જ્યારે એ સમયે અમીર અને અફલો નાટક જોવા ગયા હોય છે. ત્યારે ઈસ્માઈલ એના વખાણ કરી એના ઘરે પ્રણયમિલનની વાત નાખી એના ઘરે એને પતાવી નાખવાની બધી તૈયારીઓ સાથે આવે છે.
આખરે ઈસ્માઈલ અમીરને ઠગ બનાવવા સફર પર લઈ જવા તૈયાર કરે છે. ઠગ બનવા જે વિધિઓ હોય એ બધી વિધિ કરે છે. ભવાની માના સોગંધ ખાઈને પીળા રૂમલના બંને છેડે ગાંઠમાં ચાંદીની સિક્કો બાંધી આખી જિંદગી ઠગ રહેવાના અખંડ સોગાંધ લે છે. બધા સરસ શુકન મળે છે. બધી ટોળકી સફર પર નીકળી પડે છે. અમીર પહેલા તો ગભરાય છે પણ પછી ફોસલાવી એક વાત કહે છે કે: આ ઠગનું કામ ખુદ ભવાની માતાએ આપ્યું છે પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરવા માટે. આ તો બહુ પુણ્યનું કામ કહેવાય. કોઈપણ શિકારનું લોહી નિકડે તો ભવાનીમાં કોપાયમાન થાય એટ્લે રુમલથી શિકારના ગાળા રૂધવાના. ના છૂટકે જ તલવાર વાપરવી જો શિકાર ભાગી જતો હોય તો.
ધીરે-ધીરે અમીરના મનમાં શિકાર કરવા ખુન્નસ ભભૂકી ઊઠે છે અને પહેલો શિકાર પીળા રૂમાલથી ગૂંગળાવી કરે છે. એનો આત્મવિશ્વાસ વધે છે.., શિકારીઓને ગુંગળવા હાથની નશોમાં ખુન્નસ ભરાય છે, વધુ શિકાર કરવાની ચટપટી થવા લાગે છે… હિંદુસ્તાનનો સૌથી ખૂંખાર ઠગ બનવા વીફરેલા સિંહની જેમ ત્રાડ નાખી પોતાનો પેશો સ્વીકારી લે છે… અને હવેથી શરૂ થાય છે હ્રદય ધ્રૂજવતી, બેરહમીથી શિકારનો જીવ ગૂંગળાવી મારવાનો, છતાં શિકારનો જીવ ઝૂંટવી લેવાનો રતિભાર પણ કોઈ પસ્તાવો નહીં, નિર્દયી રીતે ઝૂલમો ગુજારતો આ અમીરલી ઠગની વાર્તાની સિસસીલો શરૂ થાય છે.
સફર દરમ્યાન બે-ત્રણ છોકરીઓ સાથે પહેલી નજરમાં પ્રેમ થાય છે. જેમાં રોશન મુખીની બેટી સાથે. અને જોહરા જે તવાયફ (ઊંચી કક્ષાની વેશ્યા) સાથે. જેની મુલાકાત સંગીત-નૃત્યના કાર્યક્રમમાં થાય છે. અને અઝીમાં જેની શાદી થવાની હોય છે એ પહેલા અઝીમાં અમીરને એની દૂ:ખ ભરી કહાની કહે છે. અમીર એને પોતાની પત્ની બનાવે છે. અને શિવપુર ઘરે લઈ જાય છે…. અહી ભાગ – 1 પૂરો થાય છે.
ઈસ્માઈલે પાછું મુખીને વચન આપેલું હોય છે કે: અમીરની શાદી રોશની સાથે જ થશે. જે ઇસમાઇલ પાળી શકતો નથી. પછી એકબીજાના બદલાની ઈચ્છાથી ઈસ્માઈલ એક ભુવા પાસેથી મંતરેલી ગોળીઓ મુખી સૂતો હોય છે ત્યારે મંત્રી દે છે. અને બીજી બાજુ કોઈક વ્યક્તિ ઈસ્માઈલ ઠગ છે એની પોલ બહાર પડે છે. અને રાજાને ખબર પહોચાડે છે. ઈસ્માઈલ દરબારમાં હાજાર કરવામાં આવે છે. અને એ સમયે બે ઘટનાઓ બની રહી હોય છે. એક, મુખીને મંતરેલી દવાની અસર થાય છે. બીજું, અઝીમાં માં બનવાની હોય છે એના એક અઠવાડિયું બચે છે. ત્યારે દરબારમાથી એક વ્યક્તિ આમિરને ખબર આપે છે કે તમને રાજાએ દરબારમાં બોલાવ્યા છે. કેમ બોલાવ્યા છે એ ખાનગી રાખે છે. જ્યારે અમીર એની પરિસ્થિતિનું વર્ણન કરે છે ત્યારે એ ખબરી કહે છે: જો તમે અહી તમારા દીકરાનું મોં જોવા રહેશો તો ત્યાં તમારા બાપનું મોં ક્યારે જિંદગીમાં જોવા નહીં મળે. અમીરને ફાળ પડી. અબ્બા પકડાઈ ગયા છે. ખબર પડી ગઈ કે એ ઠગ છે. અમીર દરબારમાં જાય છે પણ ઈસ્માઈલ ખિલાફ બધા પુરાવા અને ગવાહ હોય છે એટ્લે રાજા ઇસ્માઇલને હાથીના પગ નીચે કચડી નાખવાની સજા ફરમાવે છે. અને જ્યારે પાછો આવે છે ત્યારે રડતી અઝીમાનું પડખું ખાલી હોય છે. દીકરો મોં દેખાડીને રિસાઈ ગયો. અમીરને બધી બાજુથી દૂ:ખ એકસાથે તૂટી પડ્યું. બાપ અને બેટાનું મૃત્યુ.
બીજી સફર ખેડે છે એમાં અફલાને સાથે લઈ જાય છે… પણ ઠગ તરીકે નહીં પણ પિંઢારા બની ને. પિંઢારામાં આખાને આખા ગામ લૂંટી લેવાના અને તલવારથી લોકોના જીવ રહેંસી કાઢવાના, સ્ત્રીઓની ઇજ્જત લૂંટવાની આ એમનો પેશો.
પિંઢારા બનીને સફર ખેડી એમાં અમીર પોતે ઠગ છે વાત હજુ અફલાથી છુપું છે. પિંઢારા જોડે સફર ખેડે છે એમાં આમિરે એની બોલવાની છટાથી ગામમાં બહુ માલ લૂંટયો. આમિરે ચિતું પિંઢારા (મેઇન સરદાર) એની નજરમાં ઇજ્જત અને માન કમાય છે. જ્યારે ગફુરને એ જોઈ ઈર્ષા આવે છે. અમીર પિંઢારા સાથે બીજી સફર ખેડે છે જેમાં અફલો કેટલાક ઠગ મિત્રો સાથે અમીર એને ઘરે મોકલે છે. અને અમીર એ સફરમાં ગફુર એક ઘરમાં એક બુઠ્ઠાને બેરહેમિથી મારી નાખે છે તથા તેના પરિવાર જનોના તલવારથી રહેસી નાખી લોહીના ખાબોચિયા જમીન પર ભરાઈ જાય છે. આ જોઈ અમીર અને એના બે ઠગ મિત્રો ગફુરનો કાંટો દૂર કરી દેવા નક્કી કરે છે. અને મસ્ત કાવતરું ઘડીને એનો કાંટો દૂર કરે છે. આખરે અમીરની આ બધી દગાખોરી છે એ ચિત્તુંને ખબર પડી જાય છે. અમીર અને એના ઠગ મિત્રોને પતાવી દેવાનો હુકમ આપ્યો. આખરે અમીર અને એના અમુક મિત્રો છૂટી નીકળ્યા અને બીજા મોતને ભેટ્યા. ચિતુંને એવા સમચાર મળ્યા કે અમીર તલવારના ઘાથી મૃત્યુ પામ્યો છે. જે એક ખોટું રહસ્ય છે, પછી ચિત્તું અમીરના એક ઠગ મિત્રને બેરહેમીથી મારી નાખે છે અને બીજાને બે હાથ કાપી મરવા છોડી મૂકે છે. જે અમીર જોડે આવે છે અને બધી આપવીતી કહી સંભળાવે છે.
જ્યારે અફલો એ ઠગ મિત્રો સાથે ઘરે જાય છે ત્યારે છના-છૂપી બધુ રહસ્ય સાંભળી જાય છે. અને અમીરનો પિટારો ખૂલી જાય છે. તો પણ અમીરને મિત્ર તરીકે સ્વીકારે છે. અને જ્યારે ઘરે આવે છે ત્યારે અમીરને ખબર પાડવા નથી દેતો કે અમીર ઠગ છે.
અફલો લગ્ન કરે છે. બેટો થાય છે. અઝીમાં હજુ બેટાની ઝંખના કરી બેઠી છે. આખરે એ બીજી સફર અફલા સાથે ઠગ બની ખેડે છે. અંતમાં ગણેશા જોડે મુલાકાત થાય છે. થોડાક તણખા ઝરે છે એકબીજાના મતભેદોને લીધે. અમીર સફરમાં એક મુસાફરનો બેટો દત્તક લે છે. પણ ગણેશા એ છોકરાને ફાંગોળી મારી નાખે છે. બંને જુદા પડે છે. આગળ બીજા મુસાફરનો બેટો મળે છે. એના અબ્બા-અમ્મીને બેરહમીથી મારી નાંખે છે એ છોકરો જોઈ જાય છે. એ જરાય છાનો નથી રેતો… એ એના મરેલા અબ્બા…આમ્માની યાદમાં રડે છે…. અમીર એને તેડી લે છે, રડી રડીને થાકી જઈ ઊંઘી જાય છે, પાછો જાગે છે ત્યારે અમીરના કાન પર ડૂચો ભરે છે. અમીર ગુસ્સે ભરાય છે. છાનો રાખવા માથે છે પણ વધુ રડે જાય છે. આખરે અમીરનો પિત્તો જાય છે. મ્યાન માથી તલવાર કાઢી એ છોકરાને પર વીંઝી નાખે છે. બેરહેમી બની નિર્દયી રીતે માસૂમ બાળકનું અંગે અંગ કાપી નાખી કત્લ કરી નાખે છે. આ બધુ અફલો જોઈ જાય છે. અમીરનું વિકરાળ બેરહમી સ્વરૂપ જોઈ અફલો ધ્રુજી ઊઠે છે, એ ઘરે જવાનો ફેંસલો કરે છે. અમીર અને અફલા વચ્ચે તણખા જરે છે. જો આવો જ બેરહમી ઠગનો પેશો હોય તો મારે નથી આગળ સાફર ખેડવી એમ વિચારે છે. આખરે અફલો ઠગ પણું છોડીને ઘરે જતો રહે છે…ઠગ માથી આખરી અલવિદા લે છે… ભાગ-2 અહી પૂરો થાય છે.
અમીર સફરથી ઘરે પાછો આવે છે. અઝીમાં એક બાળકીને જન્મ આપે છે. માસુમાં. અમીર ખૂબ ખૂશ થાય છે એ સમાચાર સાંભળીને. અઝીમાં અને અમીર વચ્ચે –અફલો ને એની પત્ની ઘર છોડીને બીજે જતાં રહ્યા એ બાબતે ચર્ચા થાય છે. અમીર જૂઠ બોલી બધુ ઠારે પાડી દે છે.
થોડાક દિવસો પછી બે-ત્રણ દરબારીઓ અમીરને ત્યાં આવે છે. રાજાએ દરબારમાં બોલાવ્યા એમ કહી અમીરને રાજ દરબારમાં હાજર થવું પડે છે. આખરે અમીર ઠગ છે એ વાત ખબર પડી જાય છે પણ અમીરના મોઢેથી બોલવા માગે છે. એટલે રાજા એક યુક્તિ કરે છે. રાજાએ અમીરને કહે છે: તારા ઠગ મિત્રોએ બધુજ કબુલી લીધું છે એમના ઠગ પેશા વિશે. સાથે સાથે એમણે તારી અસલિયત પણ ઉઘાડી પડી છે. એમ કહી રાજા અમીરને ઉકસાવે છે. આખરે અમીર સચ્ચાઈ કહી દે છે.
રાજ દરબારમાં અમીર રાજાને ધમકી આપે છે, બેહૂદું વર્તન કરે છે. અને એ બદલ રાજા અમીરને કુતરાના પિંજરમાં પુરીને આખા ગામમાં ફેરવે છે. મોત કરતાં પણ બત્તર સજા લાગે છે જ્યારે લોકો એને હડધૂત કરે છે, થૂંકે છે, ગાળો દે છે. આ સમાચાર જ્યારે અઝીમાંને પહોચે છે ત્યારે અઝીમાં એ આઘાત જીરવી શક્તી નથી. અમીર એક ઠગ છે; આટલું સાંભળી તરત જ અઝીમાં ત્યાંજ મૃત્યુ પામે છે. માસુમાં એક મૌલવીને ત્યાં મોટી થાય છે.
અમીર જેલમાં એના ઠગ મિત્રો સાથે 2-3 વર્ષ રહે છે. છૂટવાના પ્રયત્નો કરે છે પણ નિષ્ફળ જાય છે. આખરે રાજા અમીરની હાલત જોઈ રહેમ કરે છે અને છોડી મૂકે છે એક શર્ત પર કે ક્યારેય શિવપુરી ગામમાં પગ નહીં મૂકવાનો.
અમીરનું ઠગપણું પાછું જાગી ઊઠે છે. રોશન (મુખીની બેટી) અને એના પતિનો ભેટો થાય છે. પહેલા તો રોશનીના પતિને રુમાલથી ગૂંગણાવી દેવાનો વિચાર હોય છે પછી વાતો વાતોમાં ખબર પડે છે કે આ રોશનનો પતિ છે. અમુક દિવસો ત્યાં પસાર કરે છે. ગણેશાની ટોળીમાં રહી ફરી સફર ખેડે છે.
અમીર એની પત્નીને બેટો થાય એ માટે એક તાવીજ એક મુસાફરના ઘરે જોઈ જાય છે. એ મુસાફર એ અમીરની બહેન અને એનો પતિ હોય છે. અને એ વાતથી અમીર બિલકુલ અજાણ હોય છે. તાવીજ લેવાના મોહે તેની બહેનનો જીવ ખૂબ આમિરે રૂંધી નાખ્યો. [ આ રહસ્ય છેક છેલ્લે ખૂલે છે…]
વાલીમન અંગ્રેજનો પરિચય થાય છે. ઠગોનો જડમૂળમાંથી દૂર કરવાનો નિર્ણય લે છે. ફિરંગીયા નામના ઠગને પકડી એ બધા ઠગની પોલો ખૂલી પડે છે. ઠગ લોકો કેવી રીતે શિકારને ફસાવે છે એ બધી વાત વાલીમનને જણાવે છે.
અમીર ગણેશં સાથે સફરમાં જોડાય છે. એ સફરમાં અમીર એક પઠાણ એની પત્ની અને સત્તર વર્ષનો એક યુવાન મળે છે. રાત્રે મદિરા પાન કરતાં અમીર એના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે વાતો કરે છે કે કેવી રીતે એ બધી એના જીવનમાં આવી અને ચાલી ગઈ. ત્યાં એ ઝોહરાની વાત કહે છે. અને જોગાનુજુગ એ ઝોહરા (દૂ:ખ ભરી કહાની કહીને આમિર પત્ની બનાવે છે એ ). એ ઝોહરા પઠાણની પત્ની નીકળે છે. આખી વાત કહે છે પછી પઠાણ એક મિનિટમાં આવું છું એમ કહી એની પત્નીના તંબુમાં જાય છે. અને ત્યાં ઝોહરા અને એના બેટાને તલવારથી ગળા જુદા કરી દે છે. આ બધુ અમીર જાણી જાય છે જ્યારે એ તંબુમાં જાય છે. અને ત્યાં જોહરા એના કપાયેલા ગળે બધી વાસ્તવિકતા માડ માંડ કહી શકે છે. પછી અમીર પઠાણને રુમાલથી ગંગાળાવી મારી નાખે છે. એ દરમ્યાન સલીમન એના સૈનિકો સાથે આવી ચડે છે. અમીર પકડાઈ જાય છે. ગણેશા કોઈને ચેતવ્યા વિના ત્યાંથી ભાગી છૂટે છે. (ગણેશા સાલો પાછી ગદ્દારી કરે છે )
અમીર સલીમન અંગ્રેજની જેલમાં કેદી બને છે. ત્યાં એ અસલિયતમા કોનો બેટો છે? એના માતા-પિતા કોણ હતા? એ બધા રહસ્યો ખૂલે છે. અને એણે એની બહેનની હત્યા પણ કરી છે ત્યાતે એ લગભગ પાગલ જેવો થઈ જાય છે. સલીમનને ખુદ કહે છે: મને ફાંસીએ ચડાવી દો…
અમીર સલીમનની વાતો સાથે સહમત થઈ ગણેશાને પકડવા મદદ કરે છે. આખરે ગણેશને પણ પકડે છે. અમીરની ઠગ કથા લખાવાય છે. ત્યાં અમીરઅલી ઠગ કેવો દેખાતો હતો એ લોકોને બતાવવા એક સ્કેચ આર્ટિસ્ટને બોલાવે છે. અંતે ખબર પડે છે કે આતો અફલાનો બેટો છે. પછી અફલાને અને એની બેટી માસુમાંને પણ મળે છે. માસુમાં અફલાના બેટા સાથે પરણી હોય છે. માસુમાં સાથે લાવેલો પીળો રૂમાલ આમીરને આપે છે. અમીર એ રુમાલની બે ગાંઠો છોડી ચાંદીનો સિક્કો માસુમાંને આપી ઠગમાંથી મટી જાય છે. આ બધી ભાવુંક કથા સાંભળીને અને જોઈને કર્નલ અમીરને સાત વર્ષની જેલ ભોગવીને અલવિદા કરવાની વાત મૂકે છે…પછી અમીર નમાજ પઢે છે ને અહી અમીરલી ઠગની કહાની પૂરી થાય છે.
***
આ માત્ર બુક રિવ્યુ માટેની ઉપર છલ્લી રૂપરેખા હતી. ‘પીળા રૂમાલની ગાંઠ’ અચૂક વાંચવા જેવી બુક છે.
અત્યારસુધી વાંચેલી ગુજરાતી પુસ્તકોમાંથી મારી Most favorite book.
Writer – Parth Toroneel